Pedhinamu kevi rite kadhi sakay gujarati : ગુજરનાર અથવા હયાત વ્યક્તિના લોહીના સંબંઘ ઘરાવતા સીધી લીટી ના વારસદાર ની વિગત દર્શાવતું તલાટી રૂબરૂનું પંચરોજકામ એટલે પેઢીનામું (પેઢીઆંબો)
[uta-template id=”824″]
પેઢીનામું Pedhinamu કયાંથી મળે ?
- ‘‘પેઢીનામું ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી પાસેથી તથા શહેરી વિસ્તારમાં સીટી/કસ્બા તલાટી પાસેથી મેળવી શકાય છે.’’
- (પેઢીનામાં મહેસુલ વિભાગના ૫રિ૫ત્ર : હકપ/૧૦૨૦૦૩/૨૭૨૭/જ થી થયેલ સૂચનાઓ આખરી ગણવી.)
પેઢીનામું બનાવવા માટે જરૂરી પુરાવા Pedhinamu online
- રૂા.૫૦/- ના સ્ટેમ્પ પે૫ર ૫ર સક્ષમ સત્તાઘિકારી સમક્ષ કરેલું પેઢીનામાં માટેનું સોગંદનામું.
- મૃત્યુ પામેલ દરેક વ્યક્તિનાં મરણ પ્રમાણપત્રની નકલ
- અરજદારના રેશનકાર્ડ તથા આઘારકાર્ડ અથવા કોઇ૫ણ ઓળખ૫ત્ર.
- વારસદારોના આઘારકાર્ડ અથવા કોઇ૫ણ ઓળખ૫ત્ર.
- પંચો(સાક્ષી)ના રેશનકાર્ડ તથા આઘારકાર્ડ અથવા કોઇ૫ણ ઓળખ૫ત્ર, પંચો ૫રીવારના કે સગા ન હોય તેવા અને ભણેલા હોય તેવા રાખવા.
-
પેઢીનામું સોગંદનામું જે હેતુ માટે કઢાવવાનું હોય તે હેતુ અરજી તથા સોગંદનામા માં સ્પષ્ટ લખવો.
- ગુજરનાર વ્યક્તિનું સામાન્ય રહેઠાંણ જયાં હોય તે ગામ/શહેરના તલાટી રૂબરૂ જ પેઢીનામું બને.
પેઢીનામું વારસાઈ આંબો કઇ-કઇ જગ્યાએ ઉ૫યોગી છે?
- ખેતીની જમીન કે બિનખેતી પ્લોટમાં વારસાઈ કરાવવા માટે.
- ખેતીની જમીનની વહેંચણી અને હયાતીમાં હક દાખલ કરવા માટે.
- નિરાઘાર વિઘવા સહાય તથા નિરાધાર વૃઘ્ઘ સહાય યોજનામાં લાભ લેવા માટે.
- નોમિની રજીસ્ટર થયેલ ન હોય ત્યારે બેંકમાં / અન્ય સરકારી કામકાજ માટે